Nojoto: Largest Storytelling Platform

પાષાણે પ્રાણ પૂરીને,મૂરત બની જાય તો,      માનવ ભા

પાષાણે પ્રાણ પૂરીને,મૂરત બની જાય તો, 
     માનવ ભાવ છોડીને,કઠોર કેમ બને? 

     પુસ્તક વાંચનથીએ,પંડિત બની જાય તો ,
     માનવ ભાન ભૂલીને,અજ્ઞાની કેમ બને? 

     સગાની ઓળખાણથી,જાણીતો બની જાય તો, 
     સ્વની ઓળખ છોડીને,અજાણ  કેમ બને? 

     વિહંગો મધુરપથી,ટહુંકા કરી જાય તો,
     માનવ ૠજુતા છોડી,તોછડો કેમ બને?

     શ્રદ્ધાપૂર્વક મૂર્તિને,નમન કરી જાય તો,
     આત્માને વંદન છોડી,નાસ્તિક કેમ બને?

©Ajit Machhar 16/10/2022
પાષાણે પ્રાણ પૂરીને,મૂરત બની જાય તો, 
     માનવ ભાવ છોડીને,કઠોર કેમ બને? 

     પુસ્તક વાંચનથીએ,પંડિત બની જાય તો ,
     માનવ ભાન ભૂલીને,અજ્ઞાની કેમ બને? 

     સગાની ઓળખાણથી,જાણીતો બની જાય તો, 
     સ્વની ઓળખ છોડીને,અજાણ  કેમ બને? 

     વિહંગો મધુરપથી,ટહુંકા કરી જાય તો,
     માનવ ૠજુતા છોડી,તોછડો કેમ બને?

     શ્રદ્ધાપૂર્વક મૂર્તિને,નમન કરી જાય તો,
     આત્માને વંદન છોડી,નાસ્તિક કેમ બને?

©Ajit Machhar 16/10/2022
ajitmachhar2482

Ajit Machhar

New Creator